સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

પાટણ જિલ્લો



મુખ્ય મથક : પાટણ

તાલુકા : 1. સરસ્વતી, 2. સિદ્ધપુર, 3.સાંતલપુર, 4.રાધનપુર, 5.પાટણ, 6.ચાણસ્મા, 7.સમી, 8.શંખેશ્વર,
          9.હારીજ

[તાલુકા યાદ રાખવાની ટ્રિક: સરસ્વતી સિ સારા એવા પચાસ શંખ હારી]

·         વર્ષ 2૦૦૦માં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી.
·         પાટણ તેની બેવડી ઈક્તવાળપટોળામાટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
·         પાટણએ આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ ગણાય છે.

પાટણ
v                 ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ ઈ.સ. 746 માં પોતાના મિત્ર તેવા અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુરપાટણ વસાવ્યું હતું , જે પાટણ તરીકે પ્રસિદ્ધ થયું. પાટણ ચાવડાવંશ, સોલંકીવંશ, વાઘેલાવંશ, દિલ્હી સલ્તનતકાળ દરમિયાન રાજધાની રહ્યુ હતુ. અહીં વનરાજ ચાવડાએ જૈન પંચાસરા મંદિર બંધાવ્યું હતું.
v   
    ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અહીં રાણકી વાવબંધાવી હતી જે સાત માળની છે. જે 2014માં યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન પામેલ છે.
v 
 સિધ્ધરાજ જયસિંહે અહીં સહસ્ત્રલિંગ સરોવર બંધવ્યું; જેના ફરતે 1008 શિવાલયો હતાં.
v  શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર આવેલું છે. તેમજ હરિહરેશ્વર મંદિર પાસે બ્રહ્મકુંડનામનું અષ્ટકોણીય સરોવર આવેલું છે.

v  ઉપરાંત પાટણ તેના પટોળાઅને માટીના રમકડા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
v  ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડુ મથક પાટણ ખાતે આવેલું છે.

દેલમાલ-
v  અહીં હઝરત  હસનપીરની દરગાહ આવેલી છે, જે દાઉદી વોરા સમાજના લોકોનું પવિત્ર સ્થળ છે.

શંખેશ્વર-
v       જૈન ધર્મીઓનું પાલિતાણા પછી બીજા નંબરનું પવિત્ર સ્થળ છે. અહીં પાર્શ્વનાથજીનું જિનાલય આવેલ છે. પ્રાચિનકાળમાં શંખપુરતરીકે ઓળખાતું હતું 

     મેથાણ-
v  આ સ્થળે ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. આ ઉપરાંત સૂર્યઊર્જા વડે રાત્રિપ્રકાશ મેળવાય છે.

સિદ્ધપુર-
v          પ્રાચીન સમયમાં શ્રીસ્થળ કે સિદ્ધક્ષેત્રતરીકે ઓળખાતું હતું. અહીં માતૃશ્રાદ્ધ માટેનું પ્રસિદ્ધ એવું બિંદુસરોવરઆવેલું છે. લોકકથા અનુસાર આ સરોવરમાં પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું અને તેથી સિદ્ધપુર માતૃગયાતરીકે ઓળખાય છે. 

v     ઇન્ટરનેટ દ્વારા અંતિમ-સંસ્કારનાં ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાતનું પ્રથમ સ્મશાનગૃહ અહીં શરૂ થયું.
v     સોલંકી રાજા મૂળરાજે અહીં રુદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો હતો, જેનું સિદ્ધરાજ જયસિંહે બાંધકામ પૂર્ણ કરાવી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહીં કપિલ મૂનિનો આશ્રમ આવેલો છે.

v    અહીં સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂનમના દિવસે કાત્યોકનો મેળોભરાય છે. જે ઊંટની લે- વેચ માટે જાણીતો છે.

    ભવાઇના પિતા અસાઇત ઠાકર સિદ્ધપુરના હતા.

Post a Comment

0 Comments