સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

તાપી જિલ્લો


મુખ્ય મથક- વ્યારા
રચના- 2 ઑક્ટોબર, 2007 ના રોજ સુરતમાંથી
સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત
ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી.
તાલુકાઓ- કુકરમુંડા, વાલોડ, નિઝર, સોનગઢ, વ્યારા, ઉચ્છલ
તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક-કુકરમાં વાલોળ ઉકળે નિઝ સોનાનું વ્યાજ ઉચ્છળે  
સાક્ષરતા- 69.23%
વસ્તી- 8,06,489
વિશેષતા-
તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે.
લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે.
તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે.
જોવાલાયક સ્થળ-
વ્યારા- પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થાન.
વ્યારા 1947 સુધી ગાયકવાડી શાસન હેઠળ હતું.
વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ આવેલો છે.
સોનગઢ- શિવાજી સુરત લુટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા. અહિં પિલાજીરાવ ગાયકવાડે ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો જીતી લઇ 1719માં ગાયકવાડ શાસનનું પ્રથમ પાટનગર બનાવ્યું હતું અને સોનગઢનો કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે.
ઉકાઇ- સોનગઢ તાલુકામાં આવેલું છે. તાપી નદી પર અહિં બંધ બાંધવામાં આવ્યો છે. જેનાથી રચાયેલ સરોવરને  “વલ્લભસાગર સરોવર” કહેવામાં આવે છે. અહિં જળવિદ્યુત મથક આવેલું છે. ઉકાઇ ડેમ એ બહુહેતુક યોજના અને મત્સ્યઉદ્યોગ કેન્દ્ર છે.
વાલોડ- વાલ્મિકી નદીના કિનારે આવેલું છે. સુરેશ જોષીનુ જન્મસ્થળ. વાલોડનું પ્રાચિન નામ “વડવલ્લી” જે “સરદાર સહકારી મંડળી”ની પ્રવૃતિઓ માટે જાણીતું છે. અહીં લિજ્જત પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે.
વેડછી- વાલોડ તાલુકામાં આવેલું છે. તે જુગતરામ દવે અને ચુનીલાલ મહેતાની કર્મભૂમિ છે. અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો “વેડછી આશ્રમ” છે. ગાંધીજીના અંતેવાસી જુગતરામે અહીં આદિવાસી અને પછાત લોકોના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃતિઓ કરી હતી. તેમણે અહીં શિક્ષકો અને કાર્યકરો તૈયાર કર્યા હતા. આશ્રમમાં પવનચક્કી, સૌર ઉર્જા અને ખેતીને લગતા અનેક પ્રયોગો થાય છે. ઉપરાંત જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઇનું “સંપૂર્ણક્રાંતિ મહાવિદ્યાલય” આવેલું છે.
મુખ્ય નદીઓ- તાપી, પૂર્ણા, વાલ્મિકી.
સિંચાઇ યોજનાઓ- ઉકાઇ બંધ – ઉકાઇ ખાતે તાપી નદી પર.
ખેતી- શેરડી, કઠોળ, કેળા, કેરી, જુવાર વગેરે પાક થાય છે.
ઉદ્યોગ- સોનગઢ ખાતે કાગળ, પૂંઠા, કાગળનો માવો બનાવતી “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે. આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે. તથા ઇમારતી લાકડાનો ઉદ્યોગ વિકસ્યો છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ- રાષ્ટ્રિય રાજમાર્ગ નંબર-6 (નવો નંબર-53) પસાર થાય છે.
અગત્યના રેલવે સ્ટેશન- વ્યારા, સોનગઢ
નૃત્ય- હાલી નૃત્ય- તાપી અને સુરત જિલ્લાનાં દુબળા આદિવાસીઓ આ “હાલી નૃત્ય” કરે છે.


Post a Comment

0 Comments