સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

સાબરકાંઠા જિલ્લો


મુખ્ય મથક- હિંમતનગર
રચના– 1 મે, 1960  ગુજરાત રાજ્યની સ્થાપના સમયે
સરહદ- ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં અરવલ્લી જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.
તાલુકાઓ-  1.હિંમતનગર 2.ખેડબ્રહ્મા 3.ઈડર 4.વડાલી 5.પ્રાંતિજ 6.તલોદ 7.પોશીના 8.વિજયનગર
તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક- વિજયનગર પ્રાંતના વડા ઈડરના હિતમાં ખેડ પોશે.
ક્ષેત્રફળ- 4138 ચો.કી.મી.
વસ્તી- 13,75,600
સાક્ષરતા- 76.60%
વિશેષતા- બ્રિટિશ કાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનના કારણે તેમનું અલગ નામકરણ “સાબરકાંઠા” કરવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લાના ઈડર  તાલુકાના અરસોડિયા (ઈડર) ખાતે ચિનાઈમાટીનો જથ્થો આવેલો છે. જે એશિયાનો ચિનાઈમાટીનો સૌથી મોટો જથ્થો છે. આ ઉપરાંત એકલારા ખાતેથી પણ ચિનાઇમાટી મળી આવે છે. 
જોવાલાયક સ્થળો-
હિંમતનગર- જૂનું નામ: અહમદનગર.
નાસિરૂદ્દિન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવ્યું હતુ, જેનું નામ પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું.
મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ. 1522માં બંધાયેલ “કાઝિવાવ” આવેલી છે.
આકોદરા- હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ “એનિમલ હોસ્ટેલ”નું ઉદઘાટન 4 મે, 2011ના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું.
ઈડર- ઈડરનાં રમકડાં વખણાય છે.
સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ” તરીકે ઓળખાતો હતો. ચારેય બાજું ખડકોની હારમાળા અને ડુંગરાઓથી ઘેરાયેલા ઈડર ગામમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો વેણી વત્સલા રાજાએ બંધાવેલો “ઈડરિયો ગઢ” અને રૂઠી રાણીનું માળિયું નામનો મહેલ જોવાલાયક છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો.
ગઢમાં મંદિરો અને વાવ છે. રાવ રણમલની “રણમલ ચોકી” આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ”માં કર્યો છે.
પ્રાંતિજ- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદીર આવેલાં છે. તેમજ ખડાયતા બ્રાહ્મણોનાં કુળદેવતા “કોટાયર્ક”ની ચતુર્ભુજ પ્રતિમા આવેલી છે. પ્રાંતિજ પાસેથી કર્કવૃત પસાર થાય છે.
ખેડબ્રહ્મા- ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે. પરંતુ ખેડબ્રહ્માથી પહેલા હરણાવને બીજી બે નદીઓ કોસંબી અને ભીમાક્ષી મળે છે. ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર બે જ મંદીરો છે. એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે તથા બીજુ ગુજરાતમાં ખેડબ્રહ્મામાં છે.  બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર “ખેડબ્રહ્મા” કહેવાયું.
ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદીર આવેલું હોવાથી “નાના અંબાજી” તરિકે પણ ઓળખવામાં આવે છે.
વડાલી- અહીં 13મી સદીના શિલાલેખો મળી આવ્યાં છે.
પોળો- વિજયનગરની  પાસે અનુમૈત્રક કાળમાં બંધાયેલા જૈનમંદિરોનો સમૂહ આવેલો છે.
સપ્તેશ્વર- સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
બોલુન્દ્રા- અહીં શિવના અવતાર તરીકે પૂજાતા કાળભૈરવનું ગુજરાતનું એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર છે.
સાબરકાંઠા- સાબરગ્રામ વિદ્યાપીઠ (સનોસણ)
પોશીના (ગુણભાખરી)- શ્વેતાંબર જૈનોનું તીર્થધામ.
અહીં ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણી સંગમે હોળીના બે અઠવાડિયા પછી ચિત્ર-વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. (ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય હસ્તિનાપુરના શાંતનું રાજાના બે પુત્રો હતા.)
નદીઓ- હાથમતી સાબરકાંઠાની મુખ્ય નદી છે. આ ઉપરાંત હરણાવ, ગુહાઈ વગેરે અગત્યની નદીઓ છે.
સાબરમતી નદી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
સિંચાઈ યોજનાઓ- હરણાવ બંધ-1 ખેડબ્રહ્મા ખાતે હરણાવ નદી પર.
હરણાવ બંધ-2 (વણજડેમ)– વણજ, તાલુકો- વિજયનગર, હરણાવ નદી પર.
ગુહાઈ ડેમ- ખાંડિયાલ ગામ, તાલુકો- હિંમતનગર- ગુહાઈ નદી પર.
ખેતી- બાજરી, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, બટાકા, તુવેર, તલ, જુવાર, વરિયાળી, એરંડા
ઉદ્યોગ- સાબરકાંઠાના હિંમતનગર ખાતે સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે. જેમાં હિંમતનગર ખાતે આવેલી એશિયન ગ્રેનિટો લિમિટેડ(AGL) જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત હિંમતનગર ખાતે લાકડાનાં ફર્નિચરનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. તેમજ કોરી ઉદ્યોગ પણ વિકસેલ છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.
મેળા-
ચિત્ર-વિચિત્રનો મેળો- ગુણભાખરી ગામ, તાલુકો- પોશીના ખાતે યોજાતો આદિવાસી લોકમેળો હોળીના એક પખવાડિયા પછી ભરાય છે.
વાવ/કૂવા- કાઝીવાવ- હિંમતનગર
કુંડ/તળાવ- હંસલેશ્વર તળાવ- ઈડર
રણમલસર રાણી તળાવ- ઈડર
સપ્તેશ્વર મહાદેવનો કુંડ- સપ્તેશ્વર, ઈડર
ડેરી- સાબરડેરી- હિંમતનગર (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત)

Post a Comment

0 Comments