મુખ્ય મથક- મહેસાણા રચના- 1 મે 1960
સરહદ- ઉત્તરે બનાસકાંઠા
અને પાટણ, પૂર્વમાં સાબરકાંઠા
અને ગાંધીનગર,
પશ્ચિમમાં સુરેન્દ્રનગર અને પાટણ, દક્ષિણમાં
ગાંધીનગર અને અમદાવાદ
તાલુકાઓ- ઊંઝા, જોટાણા,
મહેસાણા, વિસનગર, વિજાપુર,
સતલાસણ, કડી, બહુચરાજી,
ગોઝારિયા, ખેરાલુ, વડનગર
તાલુકાઓ યાદ
રાખવાની ટ્રીક- ઉંજોમે વિસ વિજાસત કરી બહુ ગોખેવડ
ક્ષેત્રફળ- 4384
ચો.કિ.મી વસ્તી - 20,27,727
સાક્ષરતા- 84.26%
વિશેષતા-
ઘઉંના
વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો.
ઘઉંના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. (પ્રથમ સ્થાને અમદાવાદ)
ઈ.સ. 1935માં સૌપ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં ખોદવામાં આવ્યો.
મહેસાણી ભેંસ અને ફુદેડાના ચપ્પા જાણીતાં છે.
ગુજરાતમાં સૌથી વધું કૂવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય છે.
લાંઘણજ પાસેથી પ્રાગ ઐતિહાસિક સમયના અને કોટ-પેઢામલી પાસેથી હડપ્પા
સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
સતલાસણ તાલુકાનો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે.
વડનગર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.
સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ(764) ધરાવતો જિલ્લો છે.
જોવાલાયક સ્થળો-
મહેસાણા- ચાવડાઓના વંશજ
મેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું અહીંની દૂધ સાગર ડેરી અને સીમંધર જૈન દેરાસર
પ્રખ્યાત છે. પશુદાણ માટે મહેસાણા જાણીતું છે.
અહીં
72 કોઠાની વાવ આવેલી છે.
તારંગા- તારણગિરિ
કે તારણદુર્ગ તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મીઓની દેવી તારાનામ પરથી ઓળખાતા તારંગા
ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલું જૈન દેરાસર છે. તેમાં એક શિલામાથી કોતરાયેલી
અજિતનાથની મૂર્તિ છે. આ ઉપરાંત તારણમાતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે.
તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે. તેમાં બુદ્ધની મૂર્તિ છે.
તારંગા
પાસે ધરોઈ ડેમ આવેલો છે.
મોઢેરા- તેનું
પ્રાચીન નામ “ભદવદગામ” છે. પુષ્પાવતિ નદીના કિનારે આવેલાં પ્રાચીન સૂર્યમંદિર માટે
મોઢેરા જાણીતું છે. સૂર્યમંદિર કર્કવૃત રેખા પર આવેલું છે. રાજા ભીમદેવ પહેલાના
સમયમાં બંધાયેલું આ મંદિર મધ્યયુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. મોઢેરાનું સૂર્ય
મંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી સુશોભીત છે. મંદિરની સામે આવેલાં રામકુંડની
ચારે બાજુ પગથિયા છે. અહીં મોઢજ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ
પ્રખ્યાત છે. દર વર્ષે જાન્યુઆરી માસમાં અહીં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. આ
ઉત્સવમાં ગુજરાત સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે
છે.
વડનગર- પ્રાચીન
સમયમાં અનંતપુર,
આનર્તપુર, આનંદપુર કે ચમત્કારપુર તરીકે
ઓળખાતું હતું. વડનગર નાગરોનું મૂળ વતન છે. અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર
મહાદેવનું પ્રાચીન વિશાલ મંદિર છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની બે પુત્રીઓ તાના-રીરી
સંગીત વિશેષજ્ઞ હતી. મુઘલ સમ્રાટ અકબરના દરબારના મહાન સંગીત રત્ન તાનસેને દિપકરાગ
ગાતા તેમના સમગ્ર શરીરમાં અતિશય દાહ ઉત્પન્ન થયો હતો અને તેનું શમન તાના-રીરીએ મેઘ
મલ્હાર રાગ ગાઈને કર્યુ હતું. અકબરે તેમને લેવા સૈનિકો મોકલતાં બન્ને બહેનોએ
વડનગરમાં જળસમાધિ લીધી હતી. અહીં
તાના-રીરીની સમાધિ પાસે ગુજરાત સરકાર તરફથી પ્રતિવર્ષ શિયાળામાં તાના-રીરી સંગીત
મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ
કલાકારો ભાગ લે છે. વડનગરમાં 6 દરવાજા આવેલાં છે. જેમાં અર્જુનબારી દરવાજામાં
આવેલાં શિલાલેખમાં વડનગરની ભવ્યતા અને સમૃદ્ધીનું વર્ણન છે. વડનગરની મધ્યમાં
શર્મિષ્ઠા તળાવ અને શામળાજીની ચોરી નામે ઓળખાતા બે તોરણો છે. 14 મીટર ઉંચો
કીર્તિસ્થંભ તેમજ શહેરને ફરતો કોટ અને દરવાજાના ખંડેરો વડનગરની ભવ્યતાનું વર્ણન
કરે છે.
ચીની યાત્રી
હ્યુ-એન-ત્સાંગે પણ વડનગરની મુલાકાત લીધી હતી.
શંકુઝ વોટરપાર્ક- મહેસાણાથી
10 કિ.મી. દૂર અમીરપુરા ગામ પાસે 75 એકર વિસ્તારમાં અનેક રાઈઝ ધરાવતો શંકુજવોટર
પાર્ક આવેલો છે.
ઊંઝા- ઊંંઝા ગુજરાતનું મસાલાનું શહેર ગણાય છે. અહીં કડવા પાટિદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે. ઊંંઝા જીરું , વરિયાળી અને ઇસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે.
ઊંઝા- ઊંંઝા ગુજરાતનું મસાલાનું શહેર ગણાય છે. અહીં કડવા પાટિદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે. ઊંંઝા જીરું , વરિયાળી અને ઇસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે.
વિસનગર- વિસનગરનું
પ્રાચીન નામ વિસલનગર છે. આ નગર વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ વસાવ્યું
હતું. અહીં તાંબા-પિત્તળના વાસણોનો ઉદ્યોગ વિકસ્યો છે. વિસનગર નાગરોનું મૂળ વતન
છે. વિસનગર પાસેના ખંડોસરણ ગામમાં સર્વમંગલા દેવીનું મંદિર અને જોડિયા મદિર છે.
બહુચરાજી- ભારતમાં
આવેલી 51 શક્તિપીઠોમાંની આ એક શક્તિપીઠ છે. બહુચરાજી માતાનું મંદિર ગુજરાતની
પ્રાચીન શક્તિપીઠ છે. 15 મીટર લાંબા અને 11 મીટર પહોળા આ મંદિરમાં પથ્થરની સુંદર
કોતરણી છે. બહુચરાજી માતાનું મૂળ સ્થાનક નજીકમાં આવેલ શંખલપુરમાં છે. અહીં કિન્નરોની ગાદી છે. ગુજરાતમાંથી ઘણા કુટુંબો
પોતાના બાળકોની બાબરી ઉતરાવવાં અહીં આવે છે. અહીં ચૈત્રી પૂનમના રોજ ભવ્ય લોકમેળો
ભરાય છે. ગરબા લખનાર દેવીભક્ત વલ્લભ મેવાડાનું ઘર અહીં છે. અહીં વ્યંડળોની ગાદી
આવેલી છે.
ઐઠોર- તે
પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેનું પ્રાચીન નામ અમરાવતી કે અયધિ છે. અહીં
ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર છે.
આસજોલ- અહીં
ભારતનું એક માત્ર કુંતામાતાનું મંદિર છે.
વિજાપુર- અહીં
શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ અને ભવ્ય જૈન દેરાસર છે.
કડી- કડીનું
પ્રાચીન નામ “કનિપુર” છે. મધ્યમાં આવેલો કિલ્લો અને રંગમહેલ સૈયદ મુર્તઝાખાન
બુખારીએ બંધાવ્યો હતો. તે સમયે કડી રસુલાબાદ તરીકે જાણીતું હતું.
કડી ખાતે
યવતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
ધરોઈ- ધરોઈ ગામ
પાસે સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
લાંઘણજ- ઈ.સ.
1993માં પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ ફુટે
લાંઘણજ પાસેથી પ્રાગઐતિહાસિક સમયના અવશેષો શોધ્યા હતાં તેમાં ડેંટેલીમ દરિયાઇ
પ્રાણીના અવશેષો તથા ચશ્મછરા અને ચશ્મકુઠાર જેવા પથ્થરના ઓજારો મળ્યા હતાં.
વણપુર- તેનું
પ્રાચીન નામ “વેણપુરા” છે. અહીં જોગણી માતાનું પ્રસિદ્ધ મંદિર છે.
ખેરવા- અહીં ગણપતિ અને હનુમાનની
મૂર્તિઓ સામસામે છે. ગણપત યુનિવર્સિટી અહીં છે.
ભોયણી- જૈનોનું પ્રસિદ્ધ
તીર્થ છે. અહીંના દેરાસરમાં મલ્લીનાથની ભવ્ય મૂર્તિ છે.
ઝુલાસણ- કડી ખાતે
આવેલાં ઝુલાસણ ગામમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમનું વતન છે.
ખેરાલુ- ખેરાલુના
મંદિરમાં સૂર્યનારાયણની બે પત્નીઓ સાથેની આરસપહાણની ભવ્ય મૂર્તિઓ છે.
પાલોદરા-
પાલોદરામાં ચોસઠ જોગણીનું ભવ્ય મંદિર છે.
મરતોલી- મરતોલીમાં
કેસર ભવાની માતાનું મંદિર છે.
નદીઓ- પુષ્પાવતી, રૂપેણ,
ખારી, સાબરમતી (સાબરમતી નદી મહેસાસણા અને
સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે.)
નદીકિનારે
વસેલા શહેર- ઐઠોર- પુષ્પાવતી નદીના કિનારે
હવાઈ મથક- મહેસાણા
સિંચાઇ
યોજનાઓ-
ખેરાલું તાલુકાના ધરોઇ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવેલો છે.(સાબરમતી
નદીનું પ્રાચીન નામ "શ્વાભ્રમતી" હતું)
પાક- ઘઉંના
વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને અને ઉત્પાદનમાં બીજા સ્થાને છે. જીરું, વરિયાળી
અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. જુવાર, બાજરી,
તમાકુ, બટાકા, એરંડા,
કપાસ વગેરેનુંં પણ અહીં ઉત્પાદન થાય છે.
અભયારણ્ય- કડી
તાલુકામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે.
ડેરી ઉદ્યોગ- દૂધસાગર
ડેરી, મહેસાણા
ખનીજ- કડી અને
વિસનગર પાસેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળ્યાં છે. કોટ અને વીરપુર પાસેથી ચિનાઈ
માટી મળે છે.
ઉદ્યોગો- કડી પાસે
કપાસિયા તેલ કાઢવાની મિલ છે. વિસનગરમાં તાંબા-પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ
વિકસ્યો છે.
અગત્યનાં
રેલ્વે સ્ટેશન- મહેસાના, વિસનગર, તારંગા, ઊંઝા, વડનગર, જોટાણા, બહુચરાજી, ગોઝારિયા,
કડી વગેરે
વાવ/કૂવા-
1)ધર્મેશ્વરી વાવ- મોઢેરા. 2) 72 કોઠાની વાવ- મહેસાણા.
કુંડ/તળાવ- 1)
શર્મિષ્ઠા તળાવ-વડનગર 2) દેળિયું તળાવ- વિસનગર.
3) ગુંજા
તળાવ- ગુંજા. 4) રામકુંડ-
મોઢેરા.
5)
શક્તિકુંડ- આખજ. 6) ગૌરીકુંડ- વડનગર.
યુનિવર્સિટી/
વિદ્યાપીઠ-ગણપત
યુનિવર્સિટી- ખેરવા.(સ્થાપના-2005)
બા. મો. શાહ
ગ્રામ વિદ્યાપીઠ - ઝીલીઆ.
સંશોધનકેંદ્ર-
1)વ્હીટ(ઘઉં) રિસર્ચ સ્ટેશન- વિજાપુર.
2)એગ્રિકલ્ચરલ
રિસર્ચ સ્ટેશન- લાડોલ.
3)મસાલા
સંશોધન કેંદ્ર- જગુદણ
4) નેશનલ
રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાંટ- બોરિયાવી.
લોકમેળા/ઉત્સવો- 1)ચૈત્રી
પૂનમનો બહુચરાજીનો મેળો.
2) દર વર્ષે
જાન્યુઆરી માસમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ.
3) દર વર્ષે
શિયાળામાં વડનગર ખાતે તાના-રીરી સંગીત મહોત્સવ.
4) ફાગણ વદ
અગિયારસથી તેરસ સુધી ચોસઠ જોગણી માતાનાં મંદિરે પાલોદરનો મેળો (તેમાં
વરસાદ અને પાકની આગાહી કરાય છે.)
0 Comments