સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

ભરૂચ જિલ્લો


મુખ્ય મથક- ભરૂચ
સરહદ- ઉત્તરે વડોદરા અને આણંદ, પૂર્વમાં નર્મદા, દક્ષિણમાં સુરત તથા પશ્ચિમમાં ખંભાતનો અખાત આવેલો છે.
તાલુકાઓ- વાલિયા, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, જંબુસર, હાંસોટ, ઝઘડિયા
તાલુકાઓ યાદ રાખવાની ટ્ર્રીક- વા વા આભ અને જહાજ
ક્ષેત્રફળ- 6528 ચો.કિ.મી.
વસ્તી- 15,50,822
સાક્ષરતા- 83.03%
વિશેષતા-
“ભૃગુતીર્થ” કે “ભૃગુકચ્છ” તરીકે ઓળખાતું ભરૂચ સમૃદ્ધ બંદર હતું.
એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ દહેજ એ ભરૂચ જિલ્લાનું બંદર છે.
“કાડિયો ડુંગર” તથા “સારસામાતાનો ડુંગર” ભરૂચ જિલ્લામાં આવેલો છે.
ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ભરૂચ (અંકલેશ્વર)માં આવેલું છે.
“સુજની” નામની રજાઈ માટે ભરૂચ જિલ્લો જાણીતો છે.
ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈ.સ.760માં બાંધવામાં આવી હતી.
ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ભરૂચ જિલ્લાના “અંકલેશ્વર” ખાતે આવેલ છે.
ગુજરાતનો સૌથી લાંબો પુલ “ગોલ્ડન બ્રીજ” નર્મદા નદી ઉપર ભરૂચ જિલ્લામાં આવેલો છે.
જોવાલાયક સ્થળો-
ભરૂચ- નર્મદાના કિનારે ભૃગુઋષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ.
કનૈયાલાલ મુનશીના મતે પુરાણકાલીન નગરી “માહિષ્મતી”એ આ જ ભરૂચ. ઈતિહાસકારો તેના જુદા જુદા નામ સુચવે છે. જેમ કે,  ભૃગુતીર્થ’,  ભૃગુકચ્છ’, ‘ભૃગપુર’, ‘ભંડોચ’, ‘બ્રૉચ
ઈ.સ.1901માં રાણી વિક્ટોરિયાની યાદમાં લોકોએ બંધાવેલો વિક્ટોરિયા ટાવર જે 2001ના ભૂકંપમાં નાશ પામ્યો.
અંગ્રેજોએ ઈ.સ.1881 માં બંધાવેલો ગોલ્ડન બ્રીજ જાણીતો છે, જે ગુજરાતનો સૌથી લાંબો પુલ છે. આ ઉપરાંત “હંસદેવનો આશ્રમ” આવેલો છે. ભરૂચ પ્રાચીનકાળનું સમૃદ્ધ બંદર હતું. કુમારપાળે બંધાવેલો “કોટ” (કિલ્લો) આજે પણ છે.
દહેજ- 25 જાન્યુઆરી, 2001ના રોજ ખુલ્લું મુકાયેલ એશિયાનું સૌપ્રથમ અને ભારતનું એકમાત્ર “કેમિકલ પોર્ટ” છે. દહેજ બંદર GCPTCL (Gujarat Chemical Port Terminal Company Ltd.) કહેવાય છે.
અંકલેશ્વર- “અંકુલેશ્વર” પ્રાચીન નામ. ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ભરૂચ (અંકલેશ્વર)માં આવેલું છે. તથા ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે.
ગાંધાર- અહીંથી પણ ખનીજતેલ મળી આવ્યું છે.
ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ગાંધાર ખાતે ઈ.સ.760 માં બંધાઈ હતી.
કાવી- ભરૂચના કાવી બંદરે નર્મદા ખંભાતના અખાતમાં સમુદ્ર સંગમ પામે છે.
સાસુ અને વહુના દેરા પણ કાવી ગામમાં આવેલા છે.
શુક્લતીર્થ- સૌંદર્યધામ તથા શુક્લેશ્વર મહાદેવ, નર્મદાજીનું મંદિર આવેલું છે.
કબીરવડ- 600 વર્ષ જૂનો વડ આવેલો છે. આ વડ નર્મદાના પટમાં આવેલો ટાપુ છે.
સ્તંભેશ્વરતીર્થ- કાવી પાસે મહિસાગર, વાત્રક, શેઢી, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, સાબરમતી અને હાથમતી. એમ, આઠ નદીઓનો અરબસાગરમાં સંગમ થાય છે ત્યાં સ્થંભેશ્વરતીર્થ છે. અહીં સમુદ્રની ભરતી અને ઓટના કારણે ચોવીસ કલાકમાં બે વખત શિવલિંગ સમુદ્રમાં અદ્રશ્ય થાય છે. શિવભક્તો સ્થંભેશ્વરને દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણે છે. ભગવાન શંકરના પુત્ર કાર્તિક દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી એવી માન્યતા છે.
અલિયાબેટ- નર્મદાના મુખપ્રદેશમાં આવેલો બેટ જ્યાં ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનીજતેલ મળી આવ્યું હતું.
ભાડભૂત- અહીં નર્મદા માતાનું મંદિર તથા ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
દર 18 વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.
મુખ્ય નદીઓ- નર્મદા, કરજણ, અમરાવતી, કીમ, ઢાઢર, મેણ, ભાદર
ખેતી- કપાસ, ઘઉં, કઠોળ, મગફળી, ડાંગર, લોંગ, કેરી, જુવાર, બાજરી
ખનીજ- અકીક.
ભરૂચ જિલ્લાના બાલનેર, મતિબાણ અને સીસોદરા ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવે છે.
ઉદ્યોગો- ભરૂચ નજીક ચાવજ ખાતે ગુજરાત નર્મદા-વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું આવેલું છે. આ યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે. ડેરી ઉદ્યોગ, દવાઓ, સાયકલ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ ,ચિનાઈ માટીના વાસણો, સુતરાઉ કાપડ વગેરે
રાષ્ટ્રીય રાજમાર્ગ- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.
અગત્યના રેલવે સ્ટેશન- ભરૂચ, સામની, જંબુસર, કાવી, અંકલેશ્વર વગેરે
મેળા- માઘમેળો- ભરૂચ ખાતે શ્રાવણ વદ નોમના દિવસે (મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ)
શુક્લતીર્થનો મેળો- શુક્લતીર્થ ખાતે કાર્તિકી પુર્ણિમાના દિવસે
ભરૂચમાં જૈનોનો રિખવદેવનો મેળો યોજાય છે.
ભાડભૂતનો મેળો- ભાડભૂતેશ્વર મહાદેવ- ભાડભૂત
ધાર્મિક સ્થળો- સ્તંભેશ્વરતીર્થ કંબોઈ(કાવી)
રિસર્ચ સ્ટેશન- ગુજરાત ઈન્સેક્ટિસાઈઝ લિ. –અંકલેશ્વર
કોટન રિસર્ચ સ્ટેશન- ભરૂચ, હાંસોલ ( કપાસ સંશોધન કેન્દ્ર)
કુંડ/તળાવ- બડબડિયો કુંડ (અંકલેશ્વર)
સૂર્યકુંડ(ભરૂચ)
ડેરી- દૂધધારા ડેરી (ભરૂચ)
બંદરો- દહેજ, ભરૂચ, હાંસોટ, ટંકારી અને કાવી બંદર પણ જાણીતા છે.
ડુંગરો/પર્વતો- કાડિયો ડુંગર તથા સારસા માતાનો ડુંગર ભરૂચમાં આવેલો છે.

Post a Comment

0 Comments