સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

મોરબી જિલ્લો



 
મોરબી
મુખ્યમથક: મોરબી

રચના: 15 ઓગસ્ટ, 2013 ના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી કરવામાં આવી.

તાલુકાઓ: 1.મોરબી 2.હળવદ 3.ટંકારા 4.માળિયા(મિયણા) 5.વાંકાનેર

તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: મોમા હવા ટંકાવો

ગામડાઓ: 337                                                                  

વસ્તી:10,07,954  સાક્ષરતા: 82.10

સરહદો: ઉત્તરે કચ્છ જિલ્લો, પૂર્વમાં સુરેંદ્રનગર જિલ્લો, દક્ષિણમાં રાજકોટ જિલ્લો, પશ્ચિમમાં જામનગર જિલ્લો અને કચ્છનો અખાત આવેલો છે.

ક્ષેત્રફળ: 4871 ચો.કિમી.

વિશેષતા:
v  મોરબી, વાંકાનેર અને માળિયા એ મચ્છુ નદીના કિનારે વસેલા શહેરો છે.
11 ઑગસ્ટ, 1979 માં મચ્છુ ડેમ તુટવાથી મોરબી ધ્વસ્ત થયું હતું.
v  મોરબી ઘડિયાળ અને ઈલેક્ટ્રિક ઘડિયાળ માટે જાણીતુ છે.
v  હળવદનું પ્રાચીન નામ “હલપદ્ર”
v  મોરબીના “મેંગ્લોરી નળિયા” જાણીતા છે.
v  નવલખી મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે.

જોવાલાયક સ્થળો:
v  મોરબી: મચ્છુ નદીના કિનારે વસેલું શહેર. અહીં મોરબીના રાજવી વાઘજી ઠાકરે પોતાના પ્રેમાળ પત્ની મણિબાઇની યાદમાં “મણિમંદિર” (વાઘમંદિર) બંધાવ્યું છે. જે શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
v  મોરબીની ઘડિયાળ, ચિનાઇ માટીના વાસણો અને મેંગ્લોરી નળિયા ખૂબ જ જાણીતા છે. આ ઉપરાંત ચિનાઇ માટીના વાસણો બનાવતુ પરશુરામ પોટરી કારખાનું આવેલું છે.
v  અહીં ઝૂલતો પૂલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

ટંકારા: સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે.

વાંકાનેર:
v  મચ્છુ નદીના કિનારે આવેલ વાંકાનેરમાં મેંગ્લોરી નળિયા બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
v  આ ઉપરાંત ગ્રીસ-રોમન પદ્ધતિના શિલ્પ સ્થાપત્યની શૈલી મુજબ બનેલો અમર પેલેસનામનો મહેલ આવેલો છે.

મુખ્ય નદીઓ: મચ્છુ, બ્રહ્માણી

સિંચાઇ યોજનાઓ: મોરબી પાસે જોધપુર ખાતે મચ્છુ નદી પર મચ્છુ ડેમ બાંધવામાં આવ્યો છે.

ખનિજો: ચૂનાનો પથ્થર, ચિનાઇ માટી

ઉદ્યોગો:
v  ઘડિયાળ અને ઈલેક્ટ્રિક ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ તથા સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે.
v  મોરબી અને વાંકાનેરમાં મેંગ્લોરી નળિયા બનાવવામાં આવે છે. જેમાં મોરબીના મેંગ્લોરી નળિયા જાણીતા છે. ચિનાઇ માટીના વાસણો બનાવતુ પરશુરામ પોટરીનું કારખાનું આવેલ છે.

અભ્યારણ્ય: રામપરા પક્ષી અભ્યારણ્ય, તા. મોરબી

રાષ્ટ્રીય રાજમાર્ગ: રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર ‌-8(A) (નવો નંબર 27) પસાર થાય છે.

બંદર :- નવલખી

Post a Comment

0 Comments