મુખ્ય
મથક : પાટણ
પાટણ જિલ્લાની સરહદ: ઉત્તરમાં
બનાસકાંઠા, પૂર્વમાં મહેસાણા, દક્ષિણમાં
સુરેંદ્રનગર,પશ્વિમમાં કચ્છ જિલ્લો આવેલો છે.
તાલુકા : 1. સરસ્વતી, 2. સિદ્ધપુર,
3.સાંતલપુર, 4.રાધનપુર, 5.પાટણ, 6.ચાણસ્મા, 7.સમી, 8.શંખેશ્વર, 9.હારીજ
[તાલુકા યાદ રાખવાની ટ્રિક: સરસ્વતી સિ સારા, પચાસ શંખ
હારી]
વર્ષ
2૦૦૦માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી.
પાટણ તેની બેવડી ઇક્તવાળ ‘પટોળા’ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેના કારીગરોને નેપાળમાંથી કુમારપાળ સોલંકીએ લાવ્યા હતા.
પાટણએ
આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ ગણાય છે.(જન્મભૂમિ: ધંધુકા- અમદાવાદ)
પાટણ
ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ ઈ.સ. 746 માં પોતાના મિત્ર
તેવા અણહિલ ભરવાડની યાદમાં ‘અણહિલપુરપાટણ’ વસાવ્યું હતું , જે પાટણ તરીકે પ્રસિદ્ધ થયું. પાટણ ચાવડાવંશ, સોલંકીવંશ,
વાઘેલાવંશ, દિલ્હી સલ્તનતકાળ દરમિયાન રાજધાની
રહ્યુ હતુ. અહીં વનરાજ ચાવડાએ જૈન પંચાસરા મંદિર બંધાવ્યું હતું. જેમાં વનરાજ ચાવડા
અને તેના મામા સૂરપાલસિહ ઝાલાની મૂર્તિ આવેલી છે.
ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ
અહીં ‘રાણકી વાવ’ બંધાવી હતી
જે સાત માળની છે. જે 2014માં યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન પામેલ છે.
સિધ્ધરાજ જયસિંહે અહીં સહસ્ત્રલિંગ સરોવર બંધવ્યું; જેના ફરતે 1008 શિવાલયો
હતાં.
શ્રી હેમચંદ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર આવેલું છે. જેનુ ઉદઘાટન ઈ.સ,1939માં કનૈયાલાલ મુનશીએ કર્યુ
હતુ. તેમજ હરિહરેશ્વર મંદિર પાસે ‘બ્રહ્મકુંડ’ નામનું અષ્ટકોણીય સરોવર આવેલું છે.
ઉપરાંત પાટણ તેના ‘પટોળા’ અને માટીના રમકડા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
ઉત્તર ગુજરાત
યુનિવર્સિટીનું વડુ મથક પાટણ ખાતે આવેલું છે.
દેલમાલ-
અહીં હઝરત હસનપીરની
દરગાહ આવેલી છે, જે દાઉદી વોરા સમાજના લોકોનું પવિત્ર સ્થળ છે.
શંખેશ્વર-
જૈન ધર્મીઓનું
પાલિતાણા પછી બીજા નંબરનું પવિત્ર સ્થળ છે. અહીં પાર્શ્વનાથજીનું જિનાલય આવેલ છે.
પ્રાચિનકાળમાં ‘શંખપુર’ તરીકે ઓળખાતું
હતું.
મેથાણ-
આ સ્થળે ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ આવેલો
છે. આ ઉપરાંત સૂર્યઊર્જા વડે રાત્રિપ્રકાશ મેળવાય છે.
સિદ્ધપુર-
પ્રાચીન સમયમાં ‘શ્રીસ્થળ’ કે ‘સિદ્ધક્ષેત્ર’
તરીકે ઓળખાતું હતું. અહીં માતૃશ્રાદ્ધ માટેનું પ્રસિદ્ધ એવું ‘બિંદુસરોવર’ આવેલું છે. લોકકથા
અનુસાર આ સરોવરમાં પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું અને તેથી સિદ્ધપુર ‘માતૃગયા’ તરીકે ઓળખાય છે.
ઇન્ટરનેટ દ્વારા અંતિમ-સંસ્કારનાં ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાતનું
પ્રથમ સ્મશાનગૃહ અહીં શરૂ થયું.
સોલંકી
રાજા મૂળરાજે અહીં રુદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો હતો, જેનું સિદ્ધરાજ જયસિંહે બાંધકામ પૂર્ણ કરાવી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
અહીં કપિલ મૂનિનો આશ્રમ આવેલો છે.
ભવાઇના પિતા અસાઇત ઠાકર સિદ્ધપુરના હતા, જેમને ‘હંસાઉલી’ પદ્યકથાની રચના કરી
અહીં
સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂનમના દિવસે ‘કાત્યોકનો મેળો’ ભરાય છે. જે ઊંટની લે- વેચ માટે જાણીતો છે.
વઢિયાર
પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનું પ્રદેશ વઢિયાર
કહેવાય છે. અહીંની વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય જાણીતી છે.
ચારણકા
અહીં ગુજરાતનો સૌથી મોટો
અને સૌ પ્રથમ સોલાર પાર્ક “સુર્ય તીર્થ” આવેલો છે.
મુખ્ય
નદીઓ
બનાસ,
સરસ્વતી , રૂપેણ.
ખેતી
પાટણમાં બાજરી, જીરું અને ઈસબગુલની ખેતી થાય છે.
લોકકલા
પટોળા,
મશરૂ (કૃત્રિમ રેશમ અને સૂતરનો ઉપયોગ થાય છે.), કિનખાબ
પાટણમાં મશરૂના કરીગરોની
સહકારી મંડળી આવેલી છે.
રાષ્ટ્રીય
રાજમાર્ગ
રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15 અને નંબર 14(નવા નંબર 27 અને 68)
પસાર થાય છે.
મેળા
સિદ્ધપુરનો કાત્યોકનો મેળો: પાટણ ખાતે સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે. જેમાં ઊંટની લે-વેચ
થાય છે.
વરાણાનો લોકમેળો: સમી તાલુકાના વરાણામાં આવેલ ખોડિયાર
માતાના મંદિરે મહાસુદ એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે.
યુનિવર્સિટી/વિદ્યાપીઠ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ – 1986
મ્યુઝિયમ/ગ્રંથાલય
ગ્રંથાલય: શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર
ગ્રંથભંડાર, પંચાસરા મંદિરની પાસે, પાટણ.
વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર, પાટણ.
વાવ/કૂવા
રાણકીવાવ – પાટણ
કુંડ/તળાવ:
સહસ્ત્રલિંગ તળાવ – પાટણ
ખાન સરોવર – પાટણ
બિંદુ સરોવર - સિદ્ધપુર
અલ્પા સરોવર – સિદ્ધપુર
સિદ્ધસર તળાવ - સિદ્ધપુર
1 Comments
🌟🌟🌟
ReplyDelete