દેવભૂમિ દ્વારકા
v ખંભાળિયા
તેના શુદ્ધ ઘી માટે જાણીતું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ:
ઉત્તરે
કચ્છનો અખાત, પૂર્વમાં જામનગર જિલ્લો, દક્ષિણમાં પોરબંદર જિલ્લો
અને પશ્ચિમમાં અરબસાગર આવેલો છે.
તાલુકાઓ: 1. ખંભાળિયા 2.દ્વારકા(ઓખામંડળ) 3.ભાણવડ 4.કલ્યાણપુર
[તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: ખભા દ્વારા ભાણાનું કલ્યાણ કરો દેવ]
દ્વારકા-
v દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના
જામનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી.
v દેવભૂમિ દ્વારકા જિલ્લાને સૌથી
વધુ ટાપુઓ અર્થાત્ બેટ પ્રાપ્ત થયા છે.
v પ્રાચીન ‘દ્વારાવતી’ તરીકે
ઓળખાતા દ્વારકાની સ્થાપના શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી.
કહેવાય
છે કે, શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત દ્વારકા દરિયામાં
ડૂબી ગઇ છે.
v જેના અવશેષો વર્ષ 1980માં સંસોધન દરમિયાન મળી
આવ્યા છે.
v જેની પૃષ્ઠિ પુરાતત્વવિદ ડૉ. એસ.આર.રાવ
દ્વારા થઇ છે.
v. ૮મી-૯મી સદીમાં જગદગુરુ
શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠમાંની એક ‘શારદાપીઠ’ અહીં આવેલી છે.
v અહીં લગભગ 13મી સદીમાં બંધાયેલા દ્વારકાધિશનું
સાતમાળનું મંદિર છે. જ્યાં ચોથામાળે
અંબાજીની પ્રતિમા તથા પાંચમામાળે 72 કોતરણીવાળા સ્તંભો પર “લાડવા મંડપ” આવેલો છે. નજીક્માં
રૂકમણીજીનુ મંદિર પણ આવેલું છે.
v દ્વારકામાં વલ્લભાચાર્ય
ગોસાઇજીની બેઠક પણ આવેલી છે.
v શંખોદ્વાર બેટ-
v તે ‘બેટ દ્વારકા’ તરીકે પણ ઓળખાય છે.
v અહીં શ્રીકૃષ્ણએ શંખ નામે એક અસુરનો ઉદ્ધાર કર્યો હતો તથા અહીં શંખ પણ ખૂબ જ મળી આવે છે, તેથી તે શંખોર બેટ તરીકે ઓળખાય
છે.
v શંખોદ્વાર બેટનો વિસ્તાર જે દારૂકાવન તરીકે ઓળખાય છે, ત્યાં 12 જયોતિર્લિંગોમાંનું એક “નાગેશ્વર જયોતિર્લિંગ” આવેલું છે.
v અહીં શ્રીકૃષ્ણની પટરાણીઓના બે કે ત્રણ માળના પાંચ મહેલો છે.
v અહીં મત્સ્યાવતારનું મંદિર છે.
v શંખોદ્વાર બેટ પર આવેલાં ગોપીતળાવની માટી ગોપીચંદન તરીકે ઓળખાય છે.
હાલાર-
v બરડા ડુંગરથી દક્ષિણ – પશ્ચિમ દિશામાં
દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા સુધીનો ભાગ હાલાર કહેવાય છે. તેમાં જામનગર
જિલ્લાનો પણ થોડો ભાગ આવે છે.
મીઠાપુર-
v ટાટા કેમિકલ્સનું સોડાએશ અને
કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલુ છે.
v મિઠાપુર પાસે “મિલિયોલાઇટ” નામનો ચૂનાનો પથ્થર, ઉપરાંત જિપ્સમ, કેલ્સાઇટ
વગેરે મળી આવે છે.
ધૂમલી-
v ભાણવડ પાસે આવેલુ ખંડેર થઇ ગયેલા મંદિરનું શહેર એટલે ‘ધૂમલી’
v ધૂમલીમાં “નવલખા મંદિર” આવેલું છે, જે લગભગ અગિયારમી - બારમી સદીમાં બંધાયેલું છે. આ ઉપરાંત ધૂમલી આશાપુરા
માતાનું મંદિર આવેલું છે.
v જેઠવા અને સેંધવ વંશ સાથે સંકળાયેલ ધૂમલી હાલ
ભાણવડ તાલુકામાં આવેલ છે.
v આ ઉપરાંત ભાણવડ નજીક કિલેશ્વર
મહાદેવ મંદિર છે.
મુખ્ય
નદીઓ-
v સની અને ગોમતી નદી.
સિંચાઇ
યોજના-
v સની ડેમ
ખેતી-
v બાજરી, જુવાર, મગફળી
ખનીજ-
v ઓખા મંડળના કિનારેથી બોક્સાઇટ મળી આવે છે.
જેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. જેમાં કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા મુખ્ય છે.
વન્ય
જીવસૃષ્ટિ-
v મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય, તા. ઓખામંડળ. (અભયારણ્યમાં
જામનગર જિલ્લાનો પણ ભાગ સમાવિષ્ટ છે.)
v મહાગંગા પક્ષી અભયારણ્ય, તા.કલ્યાણપુર
રાષ્ટ્રીય
રાજમાર્ગ-
v રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8(E)
(નવો નંબર 51) પસાર થાય છે.
મેળા-
v દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો.(
શ્રાવણ વદ આઠમ)
મ્યુઝિયમ/વિદ્યાપીઠ-
v ઈન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, શારદાપીઠ, દ્વારકા(ગ્રંથાલય)
રિસર્ચ
સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર –
v ડ્રાય ફાર્મિંગ સ્ટેશન, ખંભાળિયા.
v. ગુજરાત ફિશરીઝ એક્વેટિક સાયન્સિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, ઓખાબંદર
કુંડ/તળાવ-
રત્ન
તળાવ ( બેટ દ્વારકા.
બંદરો-
ઓખા, બેટ દ્વારકા, પોશિત્રા, વાડીનગર, સલાયા.
0 Comments