સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય


  〰〰〰〰〰〰〰〰
  💥🎯 અખા ભગત 🎯💥
〰〰〰〰〰〰〰〰〰〰〰

અખા નું મૂળ નામ ?
👉🏿 અક્ષયદાસ સોની

અક્ષયદાસ સોની ના પિતા નું નામ ?
👉🏿 રહિયાદાસ સોની

અખો કઈ સદી માં થઇ ગયો ?
👉🏿17મી સદી માં (1591-1656)

અખા ના ગુરુ નું નામ ?
👉🏿ગોકુલના ગોસ્વામી

અખા નો જન્મ કયાં થયો હતો ?
👉🏿જેતલપુર

અખો નું રહેઠાણ ?
👉🏿 દેસાઈ ની પોળમાં

અમદાવાદ ની પહેલી પોળ ?
👉🏿 મુહુર્ત પોળ

અમદાવાદ કયા રાજવી એ બંધાવ્યું ?
👉🏿 અહેમદશાહ

અખા નો વ્યવસાય ?
👉🏿 સોની

અખા નું વખણાતુ સાહિત્ય ?
👉🏿 છપ્પા

અખા ની ગણના ક્યા કાળ માં થયેલ ત્રણ મોટા સાહિત્યકાર માં થાય છે ?
👉🏿સલતનત કાળ માં

અમદાવાદ ની ખાડીયા ની દેસાઈ પોળ નું એક મકાન કયા કવિ ના નામે ઓળખાય છે ?
👉🏿અખા ના ઓરડા તરીકે

કયા કવિ સાથે ધર્મ ની બહેન અને ગુરુ બંને એ વિશ્વાસઘાત કર્યો ?
👉🏿અખા

અમદાવાદ માં ટંકશાળા કોણે સ્થાપી ?
👉🏿બાદશાહ જહાંગીરે (1674 માં)

કયો કવિ ટંક શાળા માં ઊંચી પદવી ધરાવતો હતો ?
👉🏿 અખો

કયા સાહિત્યકાર ને સોના ના સિકકા સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવવા ના ગુના થી કેદ કર્યા હતા પણ નિર્દોશ સાબિત થયા ?
👉🏿અખા ને

અખા ના છપ્પા માં કેનો તિરસ્કાર જોવા મળે છે ?
👉🏿સમાજ માં રહેલ આડંબર નો
(ધર્મ વિરુદ્ધ)

અખા એ કુલ કેટલા છપ્પા લખેલા છે ?
👉🏿૭૪૬

અખા ના છપ્પા ને કેટલા અંગ અને અંગવર્ગ માં વિભાજીત કર્યા છે ?
👉🏿૪૪ અંગ
👉🏿૪ અંગવર્ગ
(i) ફલપ્રતિપાદક
(ii) સિદ્ધાંતપ્રતિપાદક
(iii) ગુણ ગ્રાહક
(iv) દોષનિવારક અંગવર્ગ

(આ વર્ગીકરણ અખા એ નહીં પરંતુ વિદ્વાનો એ કર્યું છે)

અખા ની કઈ બે કૃતિ તેની યશસ્વી કૃતિ ગણાય છે ?
👉🏿અખેગીતા (અખા ના તત્વ ચિંતન અને સિદ્ધાંત)
👉🏿 અનુભવ બિંદુ (ગંભીર રમણીય ખંડ કાવ્ય)

“અખેગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતા નું ઉચ્ચ શૃંગ છે” આવુ કોણે કહ્યું ?
👉🏿 ઉમાશંકર જોશી એ

અખા ની પ્રથમ કૃતિ કઈ ?
👉🏿 પંચીકરણ

અનુભવ બિંદુ ને “પ્રાકૃત ઉપનિષદ” કોણે કહી ?
👉🏿 પંડિત કેશવલાલ ધ્રુવ

જ્ઞાન નો વડલો ક્યા કવિ નું નામ છે અને તે કોના દ્વારા અપાયું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા

“અખા એ તત્વવિચારક કવિતા ને શિખરે પલાંઠી વાળી છે”
આવું કોણે કહ્યું ?
👉🏿ઉમાશંકર જોષી એ

હસતો ફિલસૂફ, સમાજ સુધારક,ઉત્તમ છપ્પાકાર,તત્વજ્ઞ કવિ આ બધા ઉપનામ ક્યા કવિ ના છે અને કોણે આપ્યા ?
👉🏿અખા ના
👉🏿ઉમાશંકરે

ક્રાંતદ્રષ્ટા કવિ કોનું ઉપનામ છે અને કોના દ્વારા આપવા માં આવ્યું છે ?
👉🏿અખા નું
👉🏿ઉમાશંકર દ્વારા

ગુજરાતી સાહિત્ય નો વેદાંત કવિ કોને કહેવાય છે ?
👉🏿અખા ને

નર્મ મર્મ નો કવિ કોને કહેવાય ?
👉🏿અખા

Post a Comment

0 Comments