સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

રાજ્ય માં અત્યાર સુધી બનાવવામાં આવેલાં વિશેષ વનોની યાદી


1.:પુનિત વન (2004)
ગાંધીનગર
સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.

2. માંગલ્ય વન (2005)
અંબાજી (બનાસકાંઠા)
ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.

3. તીર્થંકર વન (2006)
તારંગા (મહેસાણા)
અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

4. હરિહર વન (2007)
સોમનાથ (ગીર સોમનાથ)
પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

5. ભક્તિ વન (2008)
ચોટીલા (સુરેન્દ્રનગર)
ચામુંડા માતા ના મંદિર પાસે..

6. શ્યામળ વન (2009)
શામળાજી (અરવલ્લી)
મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.

7. પાવક વન (2010)
પાલીતાણા (ભાવનગર)
જૈનોના ધામમાં.

8. વિરાસત વન (2011)
પાવાગઢ (પંચમહાલ)
મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

9. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

10 નાગેશ વન (2013)
દ્વારકા
ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

11. શક્તિ વન (2014)
કાગવડ (જેતપુર , રાજકોટ)
ખોડલધામ માં નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન

12. જાનકી વન (2015)
વાસંદા (નવસારી)
પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન

13. આમ્ર વન (2016)
ધરમપુર (વલસાડ)

14. એકતા વન (2016)
બારડોલી (સુરત)
સરદાર પટેલની યાદમાં

15. મહીસાગર વન (2016)
વહેળાની ખાડી (આણંદ)

16. શહીદ વન (2016)
ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

17 વિરાંજલિ વન (2017)
પાલદઢવાવ (સાબરકાંઠા)
વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં.

18. રક્ષક વન (2018)
કચ્છ
કચ્છના ભૂજ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ પાસે

Post a Comment

0 Comments